Friday, March 29, 2024
HomeGujaratહળવદ તાલુકાના ખેડૂતોનુ પ્રાઇવેટ કંપની દ્વારા શોષણ

હળવદ તાલુકાના ખેડૂતોનુ પ્રાઇવેટ કંપની દ્વારા શોષણ

ખેડૂતોના ખેતરમા 765 કેવી વિઝપોલ નાખવામા આવી રહી છે ત્યારે ખેડૂતોને કપાત જમીનના વળતર કેટલુ આપવામા આવશે એ બાબતે કોઈ ચોખવટ ન થતા ખેડૂતોએ યોગ્ય વળતર ચુકવવાની માંગ સાથે મામલતદાર કચેરીએ આવેદન આપ્યુ.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

હળવદના ખેડૂતો પર કુદરતી આફતોની સાથો સાથ પ્રાઇવેટ કંપનીઓ દ્વારા પણ આફત ઉભી કરવામા આવી રહી છે કેનાલો, રોડ-રસ્તા અને વિજલાઇનો ખેડૂતોની જમીન સતત કાપી રહી છે અને સામે પુરુ વળતર પણ ખેડૂતોને નથી મળી રહ્યુ, હળવદ તાલુકાના કોયબા,રાણેકપર,ઘનશ્યામપુર,માનસર સહિતના ગામોના ખેતર પરથી 765 કેવી લાકડીયા-વડોદરા ટ્રાન્સમીશન લાઇન પસાર થઇ રહી છે અને ખેડૂતોની કિમંતી જમીનમા મોટા વિજ પોલ નાખવામા આવી રહ્યા છે ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે અમારી જમીન કપાઇ રહી છે પરંતુ હજુ સુધી અમને વળતર કેટલુ આપશે એની કોઈ પ્રકારની ચોખવટ નથી કરવામા આવી.

ખેડૂતોની કિમંતી જમીન કેનાલ રસ્તા કે વિજલાઇનો કારણે કપાઇ રહી છે પ્રાઇવેટ કંપનીઓ કપાત જમીનનુ પુરતુ વળતર નથી આપી રહી ત્યારે હળવદના રાણેકપર, માનસર, કોયબા, ઘનશ્યામપુર ના ખેડૂતો આજે મોટી સંખ્યામા મામલતદાર કચેરીએ પહોચી યોગ્ય વળતર બાબતે માંગ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!