મોરબીના કબીર આશ્રમ નજીક ભક્તીનગર વિસ્તારમાં પ્રેમ સંબંધના જૂના ખારને પગલે બે પરિવારો વચ્ચે માથાકૂટ થઈ હતી જેમાં સામસામી ફરિયાદ નોંધાઈ છે અને બંને પક્ષે કુલ આઠ ઇસમો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
પ્રથમ ફરિયાદ અનુસાર મોરબીના વાવડી રોડ કબીર આશ્રમ પાછળ રહેતા નરેશભાઈ વિનોદભાઈ પરમારએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે ગઈકાલ તા. ૨૭/૦૫ની રાત્રે નરેશભાઈ તેમના પરિવારના સભ્યો તથા સંબંધીઓ સાથે તેમના મામા રમેશભાઈ કેશવભાઈ કંજારીયાના ઘર બહાર બેઠા હતા.આ દરમિયાન ઘરની સામે રહેતા વિષ્ણુભાઈ વાસુદેવભાઈ પરમારે ઉમેશ અને પ્રકાશને રોકી અગાઉ પ્રકાશની બહેન સાથે પ્રેમસંબંધમાં સમાધાન થયું હોય તે બાબતનો ખાર રાખી પ્રકાશને અને ઉમેશ સાથે ગાળો આપી બોલાચાલી શરૂ કરી હતી, મામલો ગંભીર બનતા નરેશભાઈ અને તેમના મામા રમેશભાઈ, ધીરુભાઈ, ધનશુખભાઈ અને ગીતાબેન તે બધા વિષ્ણુભાઈને સમજાવવા ગયા ત્યારે વિષ્ણુભાઈએ પથ્થરના છુટા ઘા કરી નરેશભાઈના માથા પર મારી ઇજા પહોંચાડેલ. ત્યારે અન્ય આરોપીઓ વાસુદેવભાઈ પરમાર (પિતા), રંજનબેન વાસુદેવભાઈ પરમાર (માતા) તથા જિગ્નેશ જગદીશભાઈ નકુમ રહે. ગાયત્રીનગર મોરબી પણ પહોંચી ગયા અને રમેશભાઈને વાસામા ધોકા મારી, ગીતાબેનને જમણા હાથમાં ધોકા મારી અને ધીરુભાઈને આખે ધોકા મારતા ઈજાગ્રસ્ત થયા. ઘટનાની જાણ થતાં અન્ય સંબંધીઓએ ઇજાગ્રસ્તોને પ્રાઇવેટ વાહન દ્વારા મોરબીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે. હાલ નરેશભાઈએ હોસ્પિટલના બિછાનેથી આરોપી વિષ્ણુભાઈ પરમાર, વાસુદેવભાઈ પરમાર, રંજનબેન પરમાર તથા જિગ્નેશ નકુમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, સીટી એ ડિવિઝન પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે બીજી તરફ રંજનબેન પરમારે ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે તેમના દીકરાને આરોપી પ્રકાશ પરમારની બહેન સાથે પ્રેમ સંબંધ હોય જે બાબતે અગાઉ માથાકૂટ થઈ હતી અને સમાધાન થઈ ચૂક્યું હતું જેનો ખાર રાખી ફરીથી ફોનમાં બોલાચાલી કરી ફરિયાદીના દીકરાને ઘર બહાર બોલાવી માર માર્યો હતો જે દરમિયાન ફરિયાદી અને તેના પતિ છોડાવવા વચ્ચે પડતા તેઓને પણ ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જે અંગે પ્રકાશ માધુભાઈ પરમાર, મયંક ઉર્ફે ઉમેશ વિનુભાઈ પરમાર,મધુભાઈ કેશુભાઈ કન્જારિયા,ધીરુભાઈ ઉર્ફે ધીરજભાઈ ગોવિંદભાઈ હડીયલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.હાલ મોરબી સિટી એ ડિવિઝન પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે