Thursday, July 10, 2025
HomeGujaratમોરબી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીને બઢતી મળતા વિદાય અને સન્માન સમારોહ યોજાયો

મોરબી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીને બઢતી મળતા વિદાય અને સન્માન સમારોહ યોજાયો

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગના સમાજ કલ્યાણ અધિકારી (વર્ગ-2)ને નાયબ નિયામક, અનુસુચિત જાતિ કલ્યાણ (વર્ગ-1)ની જગ્યા પર બઢતી આપવામાં આવી છે. ત્યારે આજ રોજ જિલ્લા પંચાયત ખાતે તેમનો વિદાય અને સન્માન સમારોહ યોજાયો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એ. એમ. છાસિયાને નાયબ નિયામક તરીકે બઢતી મળતા આજરોજ જિલ્લા પંચાયત ખાતે તેમનો વિદાય અને સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, અશોકભાઈ ચાવડા, મોરબી જિલ્લા અનુ. જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ પરમાર, મહામંત્રી બળવંતભાઈ સનારીયા, મોરબી શહેર અનુ. જાતિ મોરચાના પ્રમુખ પ્રવીણભાઈ સોલંકી, નટુભાઈ ચૌહાણ, મહેશભાઈ પરમાર, દિનેશભાઈ ચાવડા, દિનેશભાઈ પરમાર, વિક્રમભાઈ ટુંડિયા વિગેરે લોકો હાજર રહ્યા હતા અને બઢતી મળવા બદલ એ. એમ. છાસિયાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!