વાંકાનેર તાલુકાના રંગપર ગામે વાડીએ રહેતા મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જીલ્લાના સુકનેડા ગામના વતની માવજીભાઈ માનસિંગ કતીજા ઉવ.૨૩ નામના ખેત શ્રમિક ગઈ તા.૩૧/૦૫ ના રોજ બપોરે ઉપરોક્ત વાડીએ સુતા હોય તે દરમિયાન તેઓને સાપ કરડતા તાત્કાલિક તેઓને સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા, જ્યાં તા.૦૧/૦૬ના રોજ ચાલુ સારવાર દરમિયાન માવજીભાઈનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃત્યુના બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે