Sunday, September 22, 2024
HomeGujaratહળવદના મંગળપુર ગામે વીજ લાઈન નાખવા મુદ્દે ખેડૂતોનો વિરોધ: આત્મવિલોપનની ચીમકી

હળવદના મંગળપુર ગામે વીજ લાઈન નાખવા મુદ્દે ખેડૂતોનો વિરોધ: આત્મવિલોપનની ચીમકી

હળવદમાં ફરી એકવાર ધરીપૂત્રો આંદોલનનાં માર્ગે ઉતર્યા છે. હળવદના મંગળપુર ગામે વીજ લાઈન નાખવા મુદ્દે 15 ગામના ખેડૂતોએ એકત્ર થઇ પુરતું વળતર ન મળતું હોવાના આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો હતો. અને જરૂર પડે તો આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના મંગળપુર ગામે વીજ લાઈન નાખવા મુદ્દે આસપાસના 15 ગામના ખેડૂતોએ એકત્ર થઇ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોએ પુરતું વળતર ન મળતું હોવાના આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો હતો. અને હળવદ, ધાંગધ્રા, માળિયા સહિતના ખેડૂતોએ સૂત્રોચાર કરી રોષ પ્રગટ કર્યો હતો. 765 કેવી દેશી લાકડીયા અમદાવાદ ટ્રાન્સમિશન લાઇન પ્રસ્થાપિત કરવાનું કામ શરૂ કરાતા જ ખેડૂતો આંદોલનનાં માર્ગે ઉતર્યા હતા. અને યોગ્ય વળતર નહિ મળે અને જો વીજ કંપની દાદાગીરીથી વીજ લાઈન નાખજે તો જરૂર પડે તો આત્મવિલોપન કરતા પણ‌ અચકાસું નહીં તેવી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!