મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના જોખમી ૧૧ નાલા/વોકળાનું સર્વે કરવામાં આવ્યું છે. જેમાંથી ૯ નાલાઓના જોખમ નિવારવા માટે જરૂરી ફેન્સિંગના કામ પૂર્ણ થઈ ચૂક્યાં છે, અને બાકીના નાલાઓનું કામ આગામી બે દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવશે.
મોરબી શહેરમાં નાગરિકોની સલામતી માટે મહાનગરપાલિકા સતત કાર્યરત છે. ખાસ કરીને ચોમાસા પૂર્વે નિકાશ વ્યવસ્થા અને ખુલ્લા નાલાઓને લઈને સંભવિત જોખમ નિવારવા માટે ડ્રેનેજ શાખાએ શહેરના ૧૧ જોખમી નાલા/વોકળાનું તાત્કાલિક સર્વે હાથ ધર્યું હતું. આ સર્વેના આધારે ૯ નાલા/વોકળા પર જોખમ દૂર કરીને ફેન્સિંગ કરવામાં આવી છે, જેથી જાહેર સ્થળે વિજ્ઞાન અને સલામતી જાળવી શકાય. બાકી રહેલા ૨ નાલા/વોકળા માટેનું કામ પણ આગામી બે દિવસમાં પૂર્ણ કરી લેવામાં આવશે તેમ નાયબ કમિશ્નરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.