Saturday, August 2, 2025
HomeGujaratમોરબી મનપાની અગ્નિશમન શાખા દ્વારા શાળાઓ, હોસ્પિટલો અને બિલ્ડિંગોમાં ફાયર ટ્રેનિંગ અને...

મોરબી મનપાની અગ્નિશમન શાખા દ્વારા શાળાઓ, હોસ્પિટલો અને બિલ્ડિંગોમાં ફાયર ટ્રેનિંગ અને સેફટી ચેકિંગ.

મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખાએ તા. ૨૨ થી ૨૮ જુલાઈ-૨૦૨૫ દરમિયાન વિવિધ શાળા, હોસ્પિટલ અને કોમ્પ્લેક્ષોમાં ફાયર પ્રિવેન્શનના ભાગરૂપે ટ્રેનિંગ આપી અને બિલ્ડિંગોના ફાયર સેફટી સર્ટિફિકેટનું ચેકિંગ હાથ ધર્યું હતું. કુલ ૩૬ બિલ્ડિંગોને નોટિસ આપવામાં આવી હતી. અગાઉની નોટિસના પગલે ૩૮ ઇમારતોમાં ફાયર સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. ઉપરાંત આગ લાગવાના બે બનાવોમાં તાત્કાલિક પહોંચીને ફાયર ટીમે આગ કાબૂમાં લીધી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા શહેરના નાગરિકોમાં આગ પ્રત્યે સાવચેતી વધારવા માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તાજેતરમાં તા. ૨૨ થી ૨૮ જુલાઈ ૨૦૨૫ દરમિયાન ફાયર પ્રિવેન્શન અભિયાન અંતર્ગત, ૧ હોસ્પિટલના ૯ સ્ટાફ સભ્યો તથા ૪ શાળાઓના ૧૭૬૫ વિદ્યાર્થીઓને ફાયર સેફટી તથા ઇમરજન્સી સ્થિતિમાં શું કરવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે શહેરના સમાજવાડી, કોમ્પ્લેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝ જેવી વિધિવત ઈમારતોના ફાયર સેફટી સર્ટિફિકેટનું ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. જેમાં ૩૬ જેટલી ઇમારતો ફાયર એનઓસી વિના મળી આવતા, જેને નોટીસ અપાઈ હતી અને જરૂરી સૂચનો તથા ગાઈડલાઈન આપી સમાજ કરવામાં આવી હતી.

આ ઉપરાંત, અગાઉ અપાયેલ નોટીસોના પગલે ૨૫ કોમ્પ્લેક્સ અને ૧૩ સમાજવાડીઓએ ફાયર સિસ્ટમની અમલવારી શરૂ કરી દીધી છે, જે સુરક્ષાની દ્રષ્ટિએ ઉત્તમ પગલું છે. દરમિયાન, મોરબી જીલ્લામાં બે અલગ અલગ સ્થળોએ આગ લાગવાની ઘટનાઓ બની હતી, જેમાં મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસે ઘટનાસ્થળે પહોંચીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ આગની દુર્ઘટના સમયે તરત જ મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસના હેલ્પલાઈન નંબર ૦૨૮૨૨ ૨૩૦૦૫૦, ૧૦૧ અથવા ૧૧૨ ઉપર સંપર્ક કરી શકો છો

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!