મોરબી શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ખાતે બાળકોને આગ લાગે તેવી પરિસ્થિતિમાં શું કરવું તે અંગે ટ્રેનિંગ આપવામાં આવી હતી.
મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા મોરબી શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ખાતે બાળકોને આગ લાગે તેવા સંજોગોમાં શું કરવું તે અંગે ટ્રેનિંગ આપવામાં આવી હતી. જેમાં અધિકારી દ્વારા સૌ પ્રથમ બાળકોને આગ કોઈપણ જગ્યાએ ન લાગે તે માટે શું કાળજી રાખવી તે જણાવવામાં આવ્યું હતું, ત્યારબાદ જો આગ લાગે તો કયા પ્રકારના સાવચેતીના પગલાં લેવા પ્રથમ અને ત્યારબાદ આગ ઓલવવા માટે કયા પ્રકારના સાધનો વાપરવા તેની વિસ્તારપૂર્વક સમજણ આપવામાં આવી હતી. ત્યાર બાદ શિક્ષક ગણ અને બાળકો પાસે આગ ઓલવવાની પ્રેક્ટિસ પણ કરાવવામાં આવી હતી. આ ટ્રેનિંગ દરમિયાન ડોક્ટર બાબા આંબેડકર પ્રાથમિક વિદ્યાલયના વહીવટદાર કે.આર.ચાવડા સહિત ટ્રસ્ટના સભ્યો તેમજ તમામ શિક્ષણ ગણ ઉપસ્થિત રહ્યા હતા.