માળીયા(મી) તાલુકાના ખાખરેચી ગામે રહેતા મૂળ બોડી તા.નરસિંહગઢ જી.રાજગઢ મધ્યપ્રદેશના વતની કાળુસિંહ બનેસિંહ રાઠોડ ઉવ.૩૦નું ગઈકાલ ૧૦/૦૩ના રોજ બેશુદ્ધ હાલતમાં માળીયા(મી) સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવતા, જ્યાં ફરજ ઉપર હાજર ડોકટરે જોઈ તપાસી કાળુસિંહને મૃત જાહેર કરેલ હોય, ત્યારે ડોક્ટર દ્વારા માળીયા(મી) પોલીસ મથકમાં ટેલિફોનિક જાણ કરતા પોલીસે ઇન્કવેસ્ટ પંચનામાં સહિતની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે મૃત્યુના બનાવ મામલે માળીયા(મી) પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.