મોરબીમાં અષાઢી બીજ નિમિતે દર વર્ષે મચ્છુ માતાજીની શોભાયાત્રા યોજવામાં આવે છે. જે અંતર્ગત આ અષાઢી બીજ નિમિતે શોભાયાત્રા યોજવામાં આવશે. જે શોભાયાત્રાના રૂટ પર મોરબી એસપીએ અધિકારીઓ તેમજ કર્મચારીઓ સહિત ૬૦૦ થી વધુ પોલીસ જવાનો સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી ફૂટ પેટ્રોલિંગ કર્યું હતુ.
અષાઢીબીજ શોભાયાત્રાને લઈને પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. મોરબીમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે મચ્છુ માતાજીની શોભાયાત્રા યોજવામાં આવે છે. ત્યારે એસપી રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામાં શોભાયાત્રાના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં અધિકારીઓ કર્મચારીઓ સહિત ૬૦૦ થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે જેને લઇને મોરબી એસપી રાહુલ ત્રિપાઠીએ માહિતી આપી હતી