Tuesday, April 15, 2025
HomeGujaratમોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખએ ૪૯ મી વખત રક્તદાન કર્યું:૫૧...

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખએ ૪૯ મી વખત રક્તદાન કર્યું:૫૧ વખત રક્તદાન કરવાનો કર્યો છે સંકલ્પ

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ અને રોટરીગ્રામ (અ.) પ્રાથમિક શાળાના આચાર્ય મણીલાલ વી.સરડવા આજરોજ ૪૯ મી વખત રક્તદાન કર્યું છે. પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના સ્વ.પુત્ર પ્રશાંત મેરજાની ૧૭મી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રક્તદાન કરી મણિલાલ સરડવાએ ૫૧ વખત રક્તદાન કરવાનો સંકલ્પ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી માળિયા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શ્રમ, રોજગાર, પંચાયત, કૌશલ્ય નિર્માણ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ મંત્રી બ્રિજેશ મેરજાના સ્વ.પુત્ર પ્રશાંત મેરજાની ૧૭મી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. પ્રશાંત મેરજા ફાઉન્ડેશન દ્વારા આયોજિત સર્વરોગ નિદાન ફ્રી સારવાર અને દવા મેડિકલ કેમ્પ અંતર્ગત ૧૩ એપ્રિલના રોજ GMERS સિવિલ હોસ્પિટલ મોરબીના જરૂરિયાત મંદ લોકોની અને દર્દીઓની સેવા અર્થે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ અને રોટરીગ્રામ (અ.) પ્રાથમિક શાળાના આચાર્ય મણીલાલ વી.સરડવાએ ૪૯મી વખત રક્તદાન કરી સાચા અર્થમાં શ્રધ્ધાંજલિ અર્પિત કરી હતી. અને “રક્તદાન એ જ મહાદાન” “રક્તદાન કરીએ મહામૂલ્યવાન માનવ જિવન બચાવીએ” એ ઉક્તિને સાર્થક કરી બતાવી છે. થોડા દિવસો અગાઉ પણ મણીલાલ વી.સરડવાએ પોતાના પૌત્રના જન્મદિવસ નિમિત્તે ૪૮મી વખત રક્તદાન કર્યું હતું. ત્યારે હાલ ૪૯ રક્તદાન કરી મણિલાલ સરડવાએ ૫૧ વખત રક્તદાન કરવાનો સંકલ્પ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!