Tuesday, June 17, 2025
HomeGujaratમોરબી જીલ્લામાં અપમૃત્યુના ચાર બનાવ નોંધાયા.

મોરબી જીલ્લામાં અપમૃત્યુના ચાર બનાવ નોંધાયા.

મોરબી જીલ્લામાં ગઈકાલ તા.૧૬/૦૬ના રોજ એક દિવસમાં અપમૃત્યુના ચાર બનાવ પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી ગયો હતો, જેમાં મોરબી તાલુકામાં એક તથા વાંકાનેર સીટીમાં એક અને તાલુકા પોલીસ મથકમાં બે એમ કુલ ચાર અપમૃત્યુના બનાવમાં ચાર વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હતા.

- Advertisement -
- Advertisement -

પ્રથમ અપમૃત્યુ અંગે મળતી માહિતી અનુસાર, મૂળ ઓડીસા રાજ્યના વતની હાલ નીચી માંડલ ગામની સીમમાં આવેલ સિમોન સીરામીકની લેબર કોલોનીમાં રહેતા જગનાથ સુરેન્દ્રનાથ બહેરા ઉવ.૩૮ ગત તા.૧૫/૦૬ ના રોજ મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમ પાવડીયાળી મેલડી માતાજીના મદીર પાછળ આવેલ પાણીની ખાણમાં નાહવા માટે ગયો હતો ત્યારે અકસ્માતે પાણીમાં ડૂબી જવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું. તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

જ્યારે અપમૃત્યુના બીજા બનાવમાં વાંકાનેરના રેલ્વે સ્ટેશન રોડ ઉઓર સ્વપ્નલોક સોસાયટીમાં રહેતા મૂળ સુરેન્દ્રનગરના વતની હાર્દિકભાઇ રાજુભાઇ રાતડીયા ઉવ.૨૨ ગઈકાલ તા.૧૬/૦૬ના રોજ સાંજના સુમારે પોતાના મકાને પાણીની મોટર ચાલુ કરવા જતાં ઇલેકટ્રીક શોક લાગતા, તેને બેભાન હાલતમાં સરકારી હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં હાજર તબીબે જોઈ તપાસી હાર્દિકભાઈને મૃત જાહેર કર્યા હતા, ત્યારે વાંકાનેર સીટી પોલીસે અ.મોતની નોંધ કરી છે.

ત્રીજા અપમૃત્યુના બનાવ મામલે પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેર તાલુકાના પડધરા ગામની સીમમાં હોટલના ગ્રાઉન્ડમાં ટ્રક ઉપર તાલપત્રી બાંધતા સમયે ઇલેક્ટઈક શોક લાગતા મૃત્યુનો બનાવ સામે આવ્યો છે, જેમાં ગીર ડોમનાથ જીલ્લાના મોરડીયા ગામે રહેતા મૂળ કુતિયાણા જી.પોરબંદરના વતની નેભાભાઇ હાજાભાઇ ઓડેદરા જાતે.મેર ઉવ.૪૦ બાલા ગત તા.૧૫/૦૬ ના રોજ પાડધરા રોડ ઉપર આવેલ ગાત્રાળ હોટલના ગ્રાઉન્ડમાં પોતાનો ટ્રક રાખી પોતાના ટ્રકની કેબીન ઉપર ચડી તાલપત્રી બાંધતા હોય જ્યા ઉપરથી ૬૬ કે.વી. ઇલેક્ટ્રીક લાઇન પસાર થતી હોય જેમાં અડી જતા ઇલેક્ટ્રીક શોટ લાગતા, તેઓને ૧૦૮ એમ્બ્યુલન્સમાં વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લાવેલ, જ્યા સારવાર દરમિયાન નેભાભાઈનું મૃત્યુ નીપજ્યું હતુ.

આ ઉપરાંત અપમૃત્યુના ચોથા બનાવમાં મૃતક અનિતાદેવિ પપ્પુસિંહ ગુલાબસિંહ ઘટવાર ઉવ.૩૨ રહે.હાલ જાલિડા ગામની સીમ એંટિક એબ્જાકેર કારખાનામાં તા.વાંકાનેર મુળ રહે. સુંદરુતાંડ ગામ ઝારખંડ વાળાને ને ગઈકાલ તા.૧૬/૦૬ના રાત્રીના આસરે સાડા ત્રણેક વાગ્યાના અરસામા ગભરામણ થતા છતીમાં દુખાવો થતા સારવારમા સરકારી હોસ્પિટલ વાંકાનેર ખાતે લાવતા ફરજ પરના ડોકટરે જોઈ તપાસી મરણ ગયેલાનુ જણાવતા તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!