આપત્તિ વ્યવસ્થાપન હેઠળ મૃતકની પત્નીને ચેક અર્પણ કરીને સહાય આપવામાં આવી.
મોરબીમાં તાજેતરમાં આકાશી વીજળી પડવાથી અવસાન પામેલા મુકેશભાઈના વારસદારને સરકાર દ્વારા આપત્તિ વ્યવસ્થાપન હેઠળ ચાર લાખની સહાય આપવામાં આવી છે.
તાજેતરમાં મોરબી તાલુકાના સોખડા ગામે આકાશી વીજળી પડવાની ઘટના બની હતી. આ ઘટનાને પગલે સોખડા ગામના મુકેશભાઈ નરભેરામ સુરેલાનું દુઃખદ અવસાન થયું હતું. આપત્તિ વ્યવસ્થાપન હેઠળ તેમના વારસદારને સહાયરૂપ બનવાના ભાગરૂપે મુકેશભાઈ સુરેલાના પત્ની ચંદ્રિકાબેન મુકેશભાઈ સુરેલાને મોરબી તાલુકા વિકાસ અધિકારી પીઠાભાઈ ડાંગર દ્વારા રૂ. ૪ લાખનો સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.