Tuesday, September 17, 2024
HomeGujaratમોરબીમાં અપમૃત્યુના જુદા-જુદા ચાર બનાવમાં એક સગીરા સહિત ચારના મોત

મોરબીમાં અપમૃત્યુના જુદા-જુદા ચાર બનાવમાં એક સગીરા સહિત ચારના મોત

મોરબીમાં ગ્રામ્ય વિસ્તાર સહિત ટંકારા, વાંકાનેર તથા વાંકાનેર તાલુકા વિસ્તારમાં અલગ અલગ અપમૃત્યુના ચાર બનાવ નોંધાયા હતા. જેમાં ટંકારામાં ૧૬ વર્ષીય સગીરાએ ઝેરી દવા પી લેતા તેનું સારવારમાં મૃત્યુ થયું જ્યારે વાંકાનેર નજીક ફેક્ટરીના ક્વાર્ટરમાં યુવકે ગળેફાંસો ખાઈ લીધો હતો, વાંકાનેર તાલુકાના ગ્રામ્યમાં પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ ઉપરાંત મોરબીના લાલપર ગામે કેનાલના પાણીમાં ડૂબી જવાથી યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે પોલીસે વિવિધ પોલીસ મથકમાં અ.મોતની નોંધ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

પ્રથમ અપમૃત્યુના બનાવની મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સજનપર ગામે મગનભાઈ જીવાણીની વાડીએ રહેતા મૂળ મધ્યપ્રદેશ રાજ્યના પરિવારની ૧૬ વર્ષીય દીકરી નીરાલી પપ્પુભાઈ કાલીયાભાઈ ડામોર ગત તા.૦૬/૦૯ના રોજ ઉપરોક્ત વાડીએ કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લેતા પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા જ્યાં નિરાલીબેનનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી ટંકારા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરવામાં આવી છે.

બીજા અપમૃત્યુના બનાવમાં વાંકાનેરના સરતાનપર ખાતે આવેલ મોટા સીરામીક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રહેતા સંજય કુમાર અમીનસિંહ યાદવ ઉવ.૧૮ એ ગઈકાલ તા.૦૬/૦૯ના રોજ રાત્રીના દોઢેક વાગ્યે પોતાના રૂમમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે પોલીસે સ્થળ ઉપર પહોંચી મૃતકના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી મૃત્યુના બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અ.મોતની નોંધ કરી છે.

જ્યારે અપમૃત્યુના ત્રીજા બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલ તા.૦૬/૦૯ના બપોરના અરસામાં વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે રહેણાંક મકાનમાં અનીશાબેન રૂકમુદીન શેરસીયા ઉવ.૪૦ વાળા અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેઓને મૃત હાલતમાં વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે અનિશાબેનને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. ત્યારે મૃતકની લાશનું પીએમ સહિતની કામગીરી હાથ ધરી હતી. હાલ પોલીસે અ.મોત રજી.કરી આપઘાત કરવા પાછળના કારણો શોધવા તજવીજ હાથ ધરી હતી.

ચોથા બનાવની પ્રાપ્ત માહિતી મુજબ મોરબી તાલુકાના લાલપર ગામ નજીક આવેલ વોલીસ સીરામીક ફેક્ટરીના લેબર કોલોનીમાં રહેતા ગોકુલસિંહ શંકરસિંહ ઉવ.૨૪ ગઈકાલ તા.૦૬/૦૯ના રોજ સાંજના સમયે લાલપર ગામ પાસેથી પસાર થતી કેનાલમાં કોઈ કારણોસર પડી જતા તેનું પાણીમાં ડૂબી જતાં મૃત્યુ થયું હતું. ત્યારે મૃતકની લાશ કેનાલમાંથી બહાર કાઢી પીએમ માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. ત્યારે તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!