Sunday, September 22, 2024
HomeGujaratમોરબીમાં ગણેશ વિસર્જન માટે ચાર જગ્યાઓ જાહેર કરાઈ

મોરબીમાં ગણેશ વિસર્જન માટે ચાર જગ્યાઓ જાહેર કરાઈ

મોરબી જિલ્લાના કલેક્ટરના જાહેરનામા અનુસંધાને મોરબી નગર પાલિકા દ્વારા ચાર જગ્યા ખાતે ગણેશજીની મૂર્તિ વિસર્જન માટે કલેક્શન રાખવામાં આવ્યું છે. જ્યાં શહેરીજનો ગણેશજીની મૂર્તિ જમાં કરાવી શકશે તેવું જાહેર કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી નગરપાલિકા દ્વારા મોરબી જિલ્લાના કલેકટરના જાહેરનામાં મુજબ નાગરિકોની સુરક્ષા માટે ગણેશ મૂર્તિઓના વિસર્જન માટે નગરપાલિકા દ્વારા ચાર જગ્યા પર વિસર્જન માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમાં ૧) સ્કાય મોલ, શનાળા રોડ, ૨) પોલીસ પરેડ ગ્રાઉન્ડ. જેલ રોડ, ૩) એલ.ઈ.કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ અને ૪) ગર્લ્સ હાઈસ્કુલ આમ કુલ ચાર જગ્યા ખાતે સવારે ૧૦:૦૦ વાગ્યાથી સાંજના ૦૮:૦૦ વાગ્યા સુધી ગણેશ મૂર્તિઓના કલેક્શનના પોઈન્ટ રાખવામાં આવ્યા છે. જેથી આસપાસના નગરજનોએ ઉપરોક્ત કલેક્શન સેન્ટર ખાતે ગણેશ મૂર્તિઓ જમા કરાવી આપવા માટેની જાણ કરવામાં આવી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!