Monday, June 30, 2025
HomeGujaratમોરબી તાલુકામાં એક દિવસમાં અપમૃત્યુના અલગ અલગ ચાર બનાવ નોંધાતા ચકચાર

મોરબી તાલુકામાં એક દિવસમાં અપમૃત્યુના અલગ અલગ ચાર બનાવ નોંધાતા ચકચાર

મોરબી તાલુકામાં અપમૃત્યુના અલગ અલગ ચાર બનાવો નોંધાતા ચકચાર મચી જવા પામ્યો છે, જેમાં અલગ અલગ ગ્રામ્યમાં એક દિવસમાં ચાર વ્યક્તિના અકાળે મૃત્યુ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ધોરણસરની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ અપમૃત્યુના બનાવમાં, વાઘજીભાઇ કલાભાઇ ચાવડા ઉવ.૫૮ રહે.માણેકવાડા ગામ વાળાને ગઈ તા.૨૯/૦૬ના રોજ માણેકવાડા ગામે તેમના કુટુંબી મહેશભાઇ નરેશભાઇ ચાવડાના રહેણાંક મકાને છાંતીમા અસહ્ય દુખાવો ઉપડતા હાર્ટ એટેક આવી વાઘજીભાઈ બેભાન થઇ જતા તેઓને મોરબીની ખાનગી હોસ્પીટલ બાદ મોરબી સરકારી હોસ્પીટલમા સારવારમા લાવતા, ત્યાં વાઘજીભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.

જ્યારે અપમૃત્યુના બીજા બનાવમાં, મોરનીના લીલાપર રોડ ગુરુકૃપા ટાઇલ્સ કટિંગ કારખાનામાં રહેતા મૂળ ઓરિસ્સાના રહેવાસી રશ્મીકાબેન બલરામભાઇ ગીરી ઉવ.૨૫એ લેબર કવાર્ટરના રૂમમાં પોતાની જાતે કોઇપણ કારણોસર ગળેફાંસો ખાઇ લેય રશ્મિકાબેનનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે તેમની ડેડબોડી મોરની સરકારી હોસ્પિટવલ ખાતે લાવતા, હજાર ડોક્ટરે પોલીસને જાણ કરી જતી, ત્યારે પોલીસે મૃત્યુના બનાવ અંગે પ્રાથમિક તપાસમાં મૃતક રશ્મીકાબેનના ૬ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા અને આ દરમિયાન સંતાનમાં એક બાળક હોવાનું સામે આવ્યું છે, હાલ તાલુકા પોલીસે અ.મોતની નોંઘ કરી છે.

અપમૃત્યુના ત્રીજા બનાવમાં, મોરબી તાલુકાના જીકીયારી ગામે રહેતા વિજયભાઇ ચકુભાઇ સોલંકી ઉવ.૪૧ તથા તેમના પત્નિ લક્ષ્મીબેનનો ઘરસંસાર સારી રીતે ચાલેલ ન હોઇ, હાલ પાંચ મહીના પહેલા બંને પતિ-પત્નિએ કોર્ટમાં છુટાછેડા લીધેલ ત્યારથી વિજયભાઈ એકલવાયુ જીવન જીવતા હોઇ અને તેઓને કોઇ કામધંધો મળતો ન હોઇ જેથી કંટાળી જઇ ગત તા.૨૮/૦૬ના રોજ જીકીયારી ગામે પોતાના રહેણાંકની શેરીમાં પોતાની જાતે એસીડ પી જતા, તેઓને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં દાખલ કરેલ, જ્યાં ચાલુ સારવાર દરમ્યાન વિજયભાઈનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત અપમૃત્યુના ચોથા બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જીલ્લાના ગાઢા કટરા થાનાના વતની હાલ વાઘપર પીલુડી ગામ નજીક આવેલ અવઢ સ્ટોન કારખાનાની લેબર કોલોનીમાં રહેતા કિશનભાઈ બબુભાઈ રાવત ઉવ.૨૮ને ચાર પાંચ દિવસથી ઝાડા ઉલ્ટી થયા હોઇ જે બાદ ગઇ તા.૨૭/૦૬ ના રોજ દસ વાગ્યે કિશનભાઈની તબિયત વધુ બગડતા પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરેલ બાદ તા.૨૮/૦૬ના રોજ વધુ સારવાર સારૂ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે આઇસીયુ વોર્ડમાં દાખલ કરેલ અને જ્યાં કિશનભાઈ અર્ધબેભાન થઇ ગયેલ અને બાદ બપોરના સમયે ચાલુ સારવાર દરમ્યાન કિશનભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે તાલુકા પોલીસને જાણ કરતા, પોલીસે અ. મોતની એન્ટ્રી કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!