Thursday, April 3, 2025
HomeGujaratમોરબીના જલારામ ધામ ખાતે ૪ એપ્રિલના રોજ વિનામૂલ્યે નેત્રમણી નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

મોરબીના જલારામ ધામ ખાતે ૪ એપ્રિલના રોજ વિનામૂલ્યે નેત્રમણી નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ રાજકોટ, શ્રી જલારામ ધામ મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહિનાથી ૪ તારીખે યોજવામાં આવે છે. ત્યારે મોરબીના જલારામ ધામ ખાતે આગામી ૪ તારીખનાં રોજ સતવારા સમાજ અગ્રણી જેઠાભાઈ દેવકરણભાઈ ડાભી પરિવારના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે કેમ્પમાં લાભ લેવા સંસ્થા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ રાજકોટ, શ્રી જલારામ ધામ મોરબી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજવામાં આવે છે. જે અંતર્ગત તા.૪-૪-૨૦૨૫ શુક્રવારના રોજ સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી મોરબી સતવારા સમાજ અગ્રણી જેઠાભાઈ દેવકરણભાઈ ડાભી પરિવારના સહયોગથી કેમ્પ યોજવામાં આવશે. જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવશે. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વાર કરવામા આવી રહી છે. જે કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. જેની વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી- ૯૮૨૫૦૮૨૪૬૮, નિર્મિતભાઈ કક્કડ- ૯૯૯૮૮૮૦૫૮૮, હરીશભાઈ રાજા- ૯૮૭૯૨૧૮૪૧૫, અનિલભાઈ સોમૈયા- ૮૫૧૧૦૬૦૦૬૬ ના નંબર પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમા જણાવ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૪૨ માસ દરમિયાન યોજાયેલ કેમ્પમા કુલ ૧૨,૩૭૧ લોકોએ લાભ લીધો છે. તેમજ ૫૬૫૮ લોકોના વિનામુલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે. તેમ નિર્મિત કક્કડ પ્રમુખ – શ્રી જલારામ સેવા મંડળ, મંત્રી- આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!