ઈચ્છુકોએ ૨૯ જુલાઈ સુધીમાં navodaya.gov.in અથવા cbseitms.rcil.gov.in/nvs પર ઓનલાઈન અરજી કરવી
મોરબી: ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા સંચાલિત પી.એમ.શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, કોઠારીયા, તા. વાંકાનેર, જી. મોરબીમાં ધોરણ ૬ (શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭) માં પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારો ઉપરોક્ત વેબસાઇટ પરથી તા.૨૯ જુલાઈ ૨૦૨૫ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકાશે.
ધોરણ-૬ ની પ્રવેશ પરીક્ષા માટે ઉમેદવારે જે જીલ્લામાં જવાહર નવોદય વિધાલય કાર્યરત છે તે જીલ્લાની સરકારી/સરકાર માન્ય શાળામાં ધોરણ-૫ માં શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માં અભ્યાસ કર્યો હોવો જોઈએ. પ્રવેશ પરીક્ષા તા. ૧૩ ડિસેમ્બર ૨૦૨૫ (શનિવાર)ના રોજ લેવામાં આવશે તેવું પી.એમ.શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, કોઠારીયા, તા. વાંકાનેરના આચાર્યશ્રી આર.કે. બોરોલેની યાદીમાં જણાવાયું છે.