Saturday, October 5, 2024
HomeGujaratમોરબીના લખધીરવાસ ચોકમાં દુર્ગાપુજા મહોત્સવનું ભવ્ય આયોજન:મંગળવારે એસપી રાહુલ ત્રિપાઠી કરશે ઉદ્ઘાટન

મોરબીના લખધીરવાસ ચોકમાં દુર્ગાપુજા મહોત્સવનું ભવ્ય આયોજન:મંગળવારે એસપી રાહુલ ત્રિપાઠી કરશે ઉદ્ઘાટન

મોરબીમાં નવરાત્રીના છઠ્ઠા દિવસથી નારી શકિતના તહેવારને મહોત્સવ તરીકે ઉજવવાના અને દરેક નારીની અંદર રહેલી શકિતને ઓળખવા માટે નારી શકિત દુર્ગાના વિષયને ખરા અર્થમાં સાર્થક કરતું દેવી દુર્ગાના વિરાટ અને શકિત સ્વરૂપના દર્શન અને પુજા અર્ચનનો અનેરો મહોત્સવ એટલે કે દુર્ગા પુજા મહોત્સવનું છેલ્લા આઠ વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય અને જાજરમાન આયોજન કરવામાં આવેલ છે. મોરબીના લખધીરવાસ ચોકમાં તા.૯ ઓકટોમ્બર થી શ્રી બેંગલ દુર્ગાપુજા ગ્રુપ કમીટી દ્વારા દુર્ગાપુજા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.૦૮/૧૦/૨૦૨૪ ના રોજ મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી દ્વારા દુર્ગાપુજા પંડાલનું ભવ્ય ઉદ્દધાટન કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં લખધીરવાસ ચોકમાં, નવરાત્રીના છઠા દિવસથી એટલે કે, તા.૯ ઓકટોમ્બર થી તા.૧૩ ઓકટોમ્બર વિજયા દશમી સુધી શ્રી બેંગલ દુર્ગાપુજા ગ્રુપના કમીટી મેમ્બર્સ દ્વારા છેલ્લા આઠ વર્ષની જેમ આ વર્ષે પણ દુર્ગાપુજા મહાઉત્સવનું શાનદાર અને ભવ્ય આયોજન કરવામાં આવે છે. જેના મુખ્ય કમીટી મેમ્બર્સ શિવપ્રસાદ મૈતી, શ્રીરામ મોન્ડાલ, મોહિતભાઈ રાવલ, શુભાશીષ મોન્ડાલ, નિગમાનંદ શાહું, તુષાર પ્રમાણીક, ચંચલ બેરા, સુજીત ધોષ,બબલુ જોહર, તુષાર ભુનીયા,પ્રદિપ કુંડુ, સંદિપ મોન્ડાલ, દ્વ્રારા દુર્ગાપુજા પંડાલનું જાજરમાન આયોજન કરવામાં આવશે. ત્યારે તા.૦૮/૧૦/૨૦૨૪ મંગળવાર ના રોજ મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીના શુભ હસ્તે રાત્રે ૮-૦૦ થી ૯-૦૦ વાગ્યા દરમ્યાન દુર્ગાપુજા પંડાલનું ઉદધાટન રીબીન કટ કરી અને ત્યારબાદ દિપમાલા પ્રજવલીત કરીને પુજાનો ભવ્ય શુભ આરંભ કરવામાં આવશે. દુર્ગાપુજા કોઈ પ્રદેશ કે પ્રાંતનો નહીં પરંતુ તમામ જન જાતિ સમુદાયને સાથે ચાલીને ઉજાવવામાં આવે છે. દુર્ગાપુજા ઉત્સવને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ ફેસ્ટીવલમાં સ્થાન આપવામાં આવ્યું છે. દુર્ગાપુજા દેશમાં જ નહી પરંતુ વિદેશમાં પણ ધામ ઘુમથી ઉજવવામાં આવે છે. ભારતની મહાન સંસ્કૃતી અને બંગાલની પરમપરાનું સમન્વય એટલે દુર્ગાપુજા આ પંડાલમાં બુધ્ધીના દેવતા ગણેશજી, બલના દેવતા કાર્તિકેય સ્વામી, જ્ઞાનના દેવી સરસ્વતી, ધન અને એશ્રવર્યાના દેવી લક્ષ્મી, અને મહીસાસુરમર્દિની માં દુર્ગાનું પુજાન, અર્ચન, આરતી અને સ્તુતિ કરવામાં આવે છે. તો આ દુર્ગા પુજા મહા ઉત્સવનો અમુલ્ય લાભ લેવા માટે આયોજકો દ્વારા મોરબીની જનતાને હદય પૂર્વક નિમંત્રણ આપવામાં આવ્યું છે. તેમજ દુર્ગા પુજાને લગતી કોઈપણ માહિતી ,જાણકારી કે પ્રશ્ન માટે મોહિતભાઈ(કાર્તિક) રાવલનો Mo.7990215099 પર સંપર્ક કરી શકાશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!