વાંકાનેરના નવા ધમલપર શ્રી ગેલ માતાજી મંદિર ખાતેથી વેલનાથ બાપુ તેમજ હનુમાન દાદાની જન્મ જયંતિ નિમિતે પરંપરાગત ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે ચૈત્ર સુદ પૂનમના તા. ૧૨/૦૪/૨૦૨૫ ને શનિવારના રોજ શોભાયાત્રા યોજવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
વાંકાનેરના નવા ધમલપર શ્રી ગેલ માતાજી મંદિર ખાતેથી વેલનાથ બાપુ તેમજ હનુમાન દાદાની જન્મ જયંતિ નિમિતે પરંપરાગત ભવ્ય શોભાયાત્રાનું આયોજન આવતીકાલે ચૈત્ર સુદ પૂનમના તા. ૧૨/૦૪/૨૦૨૫ ને શનિવારના રોજ બપોરે ૦૩:૦૦ વાગ્યે આયોજન કરવામાં આવ્યું છે. જે શોભાયાત્રા પૂજ્ય ભુવા પરસોતમભાઈ બાવરવામાં શુભ હસ્તે કરવામાં આવશે. જે શોભાયાત્રા હસનપર, શક્તિપરા, મિલ સોસાયટી, મિલ પ્લોટ, વિશીપરા થી ધમલપર નં. ૨ વેલનાથ બાપુના મંદિર ખાતે શોભાયાત્રા પૂર્ણ થશે. જેમાં બહોળી સંખ્યામાં જોડાવા આહવાન કરવામાં આવ્યું છે. જેના માટે સંપર્ક નંબર ૯૮૨૫૬ ૫૩૦૦૦, ૯૦૬૭૪ ૭૩૮૬૬, ૯૮૭૦૦ ૬૩૩૨૪, ૯૩૭૫૦ ૫૬૫૪૫, ૯૭૨૭૩ ૩૫૭૧૮, ૭૪૦૫૫ ૩૫૭૨૯, ૯૮૭૯૯ ૯૭૫૧૯ પર સંપર્ક કરવા જણાવાયું છે.જે શોભાયાત્રામાં મોડીફાઈડ સાઈલેન્સર વાળા બાઈક કે હથિયાર, કેફી પીણા પીધેલ લોકો પર પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે તેવી સ્પષ્ટ સૂચના પણ આપી દેવામાં આવી છે.