ગત તા.૧ જૂનના રોજ હળવદ શહેરમાં એક વેપારીએ લમણે ગોળી મારીને આપઘાત કરી લેવાનો પ્રયાસ કર્યો હતો.છેલ્લા થોડા દિવસોથી અમદાવાદ ખાતે સારવાર ચાલી રહી હતી. ત્યારે આજરોજ વેપારીએ દમ તોડી દેતા વેપારી આલમમાં શોક નો માહોલ છવાયો છે.
મળતી માહિતી અનુસાર, હળવદના પ્રતિષ્ઠિત વેપારી અને ભવાની ગ્રુપના અગ્રણી એવા કિશોરભાઈ ઉર્ફે બકાભાઇ અમૃતલાલ ઠક્કરે ગત તા. ૧/૦૬/૨૦૨૫ ના રોજ પોતાના ઘરે જ પોતાની લાયસન્સ વાળી બંદૂકથી ગોળી મારી આપઘાત નો પ્રયાસ કર્યો હતો.જેમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા પ્રથમ સ્થાનિક હોસ્પિટલમાં અને ત્યાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.ત્યારે આજરોજ સારવાર દરમખાન તેમનું મોત નિપજ્યું છે,મૃતદેહને અમદાવાદ ખાતે જ પીએમ કરી હળવદ ખાતે લાવવામાં આવશે ત્યાર બાદ આજે રાત્રીના આઠ વાગ્યે તેઓના હળવદ પાલિકા કચેરી સામેના નિવાસ સ્થાન ખાતેથી તેમની યંતિમ યાત્રા યોજવામાં આવશે.