Sunday, March 16, 2025
HomeGujaratહળવદ વિ.હી.પ. અને બજરંગદળ દ્વારા આતંકવાદ ના પૂતળા નું દહન કરવામાં આવ્યું

હળવદ વિ.હી.પ. અને બજરંગદળ દ્વારા આતંકવાદ ના પૂતળા નું દહન કરવામાં આવ્યું

આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ હળવદ દ્વારા હળવદ ના સરાનાકા ખાતે આતંકવાદ ના પૂતળા નું દહન કરવામાં આવ્યું હતું તાજેતર માં જ કાશ્મીર ઘાટી માં ષડયંત્ર પૂર્વક નિર્દોષ હિંદુઓ ની નિર્મમ હત્યાઓ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી અને કાશ્મીર ઘાટી માં આતંક મચાવવામાં આવ્યો છે તેના વિરોધ માં આજરોજ આતંકવાદ ના પૂતળા નું દહન કરવામાં આવ્યું હતું હાજર સૌ રાષ્ટ્રભકત કાર્યકરો એ “આતંકવાદ હાય હાય ” , ” કશ્મીર કી ગલીયા સુની હૈ પાકિસ્તાન ખૂની હૈ ” , ” જીસ કશ્મીર કો ખૂન સે સિંચા વો કશ્મીર હમારા હૈ ” , ” હર હિન્દૂ ને ઠાના હૈ આતંકવાદ મિટાના હૈ ” , ‘ભારત માતા કી જય , વંદે માતરમ” ના નારા લગાવી આતંકવાદ નો વિરોધ કર્યો હતો અને સમગ્ર દેશ ના હિંદુઓ કાશ્મીર ના લઘુમતી હિન્દૂ અને શીખ ની સાથે છે તેઓ સંદેશ પણ આપ્યો હતો આ કાર્યક્રમ માં હળવદ ગામ ના અગ્રણીયો અને રાષ્ટ્રભકત યુવાઓ હાજર રહ્યા હતા

- Advertisement -
- Advertisement -

આ કાર્યક્રમ ને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ ના કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!