Friday, October 18, 2024
HomeNewsવાલ્મીકિ જયંતિની નિમિતે ભીમસર ખાતે હનુમાન ચાલીસા પઠન કેન્દ્રનો કરાયો શુભારંભ

વાલ્મીકિ જયંતિની નિમિતે ભીમસર ખાતે હનુમાન ચાલીસા પઠન કેન્દ્રનો કરાયો શુભારંભ

વાલ્મીકિ જયંતિની ઉજવણી તા.૧૭/૧૦/૨૦૨૪ ના રોજ કરવામાં આવી હતી જે પાવન અવસરે ભીમસર મુકામે હનુમાન ચાલીસા પઠન કેન્દ્રનો શુભારંભ પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો.જયંતિભાઈ ભાડેસિઆના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. જે કાર્યક્રમમાં વાલ્મીકિ સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
- Advertisement -

વાલ્મીકિ જયંતી તા. 17/10/2024 ના રોજ ઉજવણી કરવામાં આવી હતી. જે પ્રંસગે ભિમસર મુકામે હનુમાન ચાલીસા પઠન કેન્દ્રનો શુભારંભ પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડૉ. જયંતીભાઈ ભાદેસિઆ ના હસ્તે કરવામાં આવ્યો હતો. જે પ્રસંગ લાલબાગ ઉપનગર સેવાવિભાગ/સામાજિક સમરસતા મંચ દ્વારા વાલ્મીકિ સમાજના ભાઈઓ અને બહેનોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. જે પ્રસંગે ડૉ. જયંતિ ભાડેસિઆ એ પ્રાસંગિક વકતવ્ય આપી વાલ્મીકિ પૂજન કર્યું હતું. અને કુમકુમ તિલક તથા ઢોલ /ત્રાંસા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સુંદર કાર્યક્રમની સફળતા માટે લાલજીભાઈ કુનપરા, રાજુભાઈ વિરમગામા, દિનેશ ભાઈ વિડજા સહિતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. આગામી દિવસોમાં આ વિસ્તારમાં એક સંસ્કાર કેન્દ્ર પણ શરૂ કરવામાં આવશે. જે અંગે લલિતભાઈ પાંડે, વસંતભાઈ આહીર, જીતુભાઈ પરમાર, બકુલ ભાઈ, મહેન્દ્રભાઈ સહિતના કાર્યકર્તાએ કૃત નિશ્ચયી થયા છે. ત્યારે આ પ્રસંગે ભીમસરના અગ્રણીઓ મહેશભાઈ પરમાર, વિપુલભાઈ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!