“હિન્દુ જાગશે, તો રાષ્ટ્ર જાગશે; રાષ્ટ્ર જાગશે, તો વિશ્વનું કલ્યાણ થશે” ના સંકલ્પ સાથે મોરબી ખાતે હિન્દુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં હિન્દુવાદીઓને જોડાવવા આહવાન કરવામાં આવ્યું છે.
હિન્દુ મહાસંમેલન સમિતિના જણાવ્યા અનુસાર, હિન્દુ મહાસંમેલન સમિતિ, ક્રિષ્ના વસતી, રવાપર રોડ દ્વારા આજે રાત્રે 8:00 વાગ્યે કુળદેવી પાનની સામેનું મેદાન, શક્તિ ટાઉનશીપની બાજુમાં, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે હિન્દુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા મોટી સંખ્યામાં હિન્દુ સમાજના ભાઈઓ-બહેનોને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. સમારોહ દરમિયાન “તાંડવ નર્તન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્લાસિકલ ડાન્સ” દ્વારા ભરતનાટ્યમ પ્રસ્તુતિ યોજાશે, જે કાર્યક્રમનું વિશેષ આકર્ષણ રહેશે. આ કાર્યક્રમનું માર્ગદર્શન મહંત દામજી ભગત (નકલંક મંદિર–બગથળા) દ્વારા આપવામાં આવી રહ્યું છે. સાથે જ સ્વામી આત્માનંદ સરસ્વતીજી (ભજનાનંદ આશ્રમ–બોટાદ) ની ઉપસ્થિતિ પણ રહેશે. વધુ માહિતી માટે મહેશભાઈ વેકરીયા – 99097 57498 તથા જીતલભાઈ ઠોરીયા – 96389 99955 નો સંપર્ક કરવા અપીલ કરાઈ છે. આયોજકો દ્વારા હિન્દુ સમાજને એકતા અને સાંસ્કૃતિક જાગૃતિ માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.









