મોરબીના મહેન્દ્રનગર ગણેશ એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ આંધ્રપ્રદેશના વતની સાથે ઓનલાઈન જોબ વર્કના બહાને રૂ.૬૨.૯૩ લાખની ઠગાઈ કરવામાં આવી છે. મોરબી સાયબર ક્રાઇમ પોલીસે આરોપી ટેલીગ્રામ યુઝરો સહિતના ઈસમો વિરુદ્ધ બીએનએસ તથા આઇટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી શહેરના મહેન્દ્રનગર વિસ્તારમાં ગણેશ એપાર્ટમેન્ટમાં રહેતા સત્યનારાયણા નાગેન્દ્રવરાપ્રસાદ કલ્લા ઉવ.૫૨ મૂળ વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશના રહેવાસી છે. તેમણે ટેલીગ્રામ યુઝર (૧)SUNALI (@Sunali_2222), (૨)online customer care (@customerservice_2470), (૩)2085 adani’s group, (૪)wotif 1289 zateen zateen (@zateen453), (૫)jasbir singh (@jasbir_54), (૬)nithin Roy (@nithin4112), (૭)sithara varun (@sithara_varun) તથા તપાસમાં ખુલે તેના વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે, ઉપરોક્ત ટેલિગ્રામ યુઝર આરોપીઓ દ્વારા ફરિયાદીને ઓનલાઈન જોબ વર્કની ઓફર આપી લોભામણી જાહેરાત દ્વારા ઘરબેઠા કમાણીની વાત કરી વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. ગઈ તા. ૪ મે ૨૦૨૫થી ૨૧ મે ૨૦૨૫ દરમિયાન આરોપીઓએ ટેલિગ્રામમાં અલગ-અલગ નામો અને યુઝરઆઈડી સાથે સંપર્કમાં રહી, ફરિયાદીને વિવિધ બહાનાઓ હેઠળ રોકાણ કરાવ્યું હતું. કુલ રૂ.૬૨,૯૩,૯૨૫/-જેટલી માતબર રકમ ઓનલાઇન જોબ વર્ક પેટે રોકાણ કરાવી, જે રોકાણ કરેલ ફરિયાદીના લેણા થતા રૂપીયા આજ દિન સુધી પરત નહી આપી, વિશ્વાસધાત છેતરપીંડી કરી હોય, હાલ પોલીસે સમગ્ર ઓનલાઇન ઠગાઈ અંગે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આગળની તપાસ મોરબી સાયબર પોલીસ મથક પીઆઇ કે.કે.દરબારના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવી છે