Sunday, September 8, 2024
HomeGujaratમોરબીના શકત શનાળા ગામે પિતા-પુત્રીઓને ચાર ઈસમોએ ઢોર માર માર્યો

મોરબીના શકત શનાળા ગામે પિતા-પુત્રીઓને ચાર ઈસમોએ ઢોર માર માર્યો

મોરબીના શકત માતા મંદીર પાસે વધુ એક મારામારીની ઘટના સામે આવી છે. જેમાં પિતા તેની બંને પુત્રીઓ સાથે જતા હોય ત્યારે આરોપીઓએ સામેથી આવી પિતાને મારવા લાગતા તેમને છોડાવવા વચ્ચે પડેલ બંને પુત્રીઓને પણ ઈસમોએ ઢોર માર માર્યો હતો. જે સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

માલા,ટી માહિતી અનુસાર, મોરબી શકતી માતાજી ના મંદીર પાસે શકત શનાળા વણકર વાસ ખાતે રહેતા અમરશીભાઈ પુંજાભાઈ સોલંકી ગત તા.૧૧/૦૬/૨૦૨૩ ના સાંજના સાડા પાંચેક વાગ્યાના અરશામાં તેની બંન્ને દીકરીઓ સાથે જતા હતા. ત્યારે પ્રશાંત વાઘેલા, નિખિલ વાઘેલા, સિધ્ધરાજ વાઘેલા તથા ધવલ વાઘેલા (તમામ રહે. મોરબી સખત માતા મંદીર પાસે સખત શનાળા વણકર વાસ તા.જી.મોરબી) નામના આરોપીઓ સામા મળતા પ્રશાંત વાઘેલા તથા સિધ્ધરાજ વાઘેલાએ ફરીયાદી ને લાતો ઢીંકા પાટુનો માર મારવા લાગેલા તેવામાં આરોપીઓનું ઉપરાણુ લઈ નિખિલ વાઘેલા અને ધવલ વાઘેલા હાથમાં રહેલ ડંડાથી ફરિયાદીને માર મારવા લાગેલ તેવામાં ફરિયાદીની દીકરી ગીતાબેન તથા નાની દીકરી માનશીબેન એમ બંન્ને બહેનો વચ્ચે પડી છોડાવવા જતા આરોપીઓએ દંડાથી માર મારતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!