Saturday, September 21, 2024
HomeGujaratમોરબીના ટીંબડી ગામે પરિણીતાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

મોરબીના ટીંબડી ગામે પરિણીતાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

મોરબીના ટીંબડી ગામે ભાડેના મકાનમાં રહેતી ૨૨ વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મૃત્યુ નિપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબીના ટીંબડી પાટીયા નજીક બસ સ્ટેન્ડ પાછળ આવેલ સુરેશભાઈના મકાનમાં ભાડે રહેતા પાયલબેન પિન્ટુભાઇ વસુનિયા ઉવ.૨૨ ગઈકાલ તા.૧૫/૦૬ના રોજ ભાડેના મકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પાયાલબેનનું મૃત્યુ નિપજતા તેમના પતિ દ્વારા ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. મૃતક પાયલબેનનો લગ્નગાળો સાડા ત્રણ વર્ષનો હોય અને તેમને સંતાનમાં એક બાળક હોવાની પ્રાથમિક માહિતી તેમના પતિ દ્વારા અપાઈ હતી. મોતના બનાવ બાબતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા, પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી ઇન્કવેસ્ટ પંચનામુ કરી ડેડબોડી પીએમ અર્થે સોંપી આગળની તપાસ શરૂ કરી છે. હાલ પોલીસે અ.મોત રજી.કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!