Sunday, October 6, 2024
HomeGujaratવાંકાનેરમાં વાગ્દત્તા સાથે પ્રેમ સંબંધની જાણ થતા ભાવિ પતિના પિતા સહિત ચાર...

વાંકાનેરમાં વાગ્દત્તા સાથે પ્રેમ સંબંધની જાણ થતા ભાવિ પતિના પિતા સહિત ચાર શખ્સોએ પ્રેમીને માર માર્યો

વાંકાનેર તાલુકાના દેરાળા ગામે મંગેતર સાથે પ્રેમ સંબંધ હોવાનું પ્રેમી દ્વારા ભાવિ પતિને વાત કરતા જે અંગે ભાવિ પતિ એવા યુવકે તેના પિતાને આ બાબતે જાણ કરતા જેનો ખાર રાખી વાંકાનેરના ભેરડા ગામે રહેતા પ્રેમી યુવકને લાકડી તથા ઢીકાપાટુનો માર મારી મૂંઢ ઇજાઓ પહોંચાડતા સારવારમાં રહેલ પ્રેમી યુવક દ્વારા ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના ભેરડા ગામે રહેતા કિશનભાઇ જાદુભાઇ સાબરીયા ઉવ.૨૨ એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી પરબત ભોપા ધરજીયા, સંજય રસાભાઇ ધરજીયા, સવા ભોપા ધરજીયા તથા રામજી ટપુ ધરજીયા રહે.બધા ગામ –દેરાડા તા-વાંકાનેર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરીયાદી કિશનભાઈને લાકડધાર ગામની છોકરી સાથે પ્રેમ સંબંધ હોય જેની સગાઇ પાંચેક માસ પહેલા વાંકાનેર તાલુકાના દેરાળા ગામના આરોપી પરબત ભોપાના દીકરા અજય સાથે થઈ હતી. ત્યારે આ પ્રેમસંબંધ બાબતે ત્રણ માસ પહેલા કિશનભાઈએ અજયને જાણ કરી કે તારી જેની સાથે સગાઇ થઇ છે તે છોકરી સાથે મારે પ્રેમ સંબંધ છે. જે અંગે અજયે તેના પિતાને જાણ કરતા તેનો ખાર રાખી ગત તા.૦૫/૦૭ના રોજ રાત્રીના દસેક વાગ્યાના અરસામાં ઉપરોક્ત ચારેય આરોપીઓએ એક સંપ કરી વાંકાનેર તાલુકાના દેરાળા ગામના ઠાકર મંદિરના ચોકમાં કિશનભાઈને ઢીકાપાટુનો માર તથા લાકડી વડે માર મારીને કિશનભાઈને કપાળમાં તથા શરીરે મૂંઢ ઇજાઓ પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવતા હાલ વાંકાનેર તાલુકા પોલીસે કિશનભાઈની ફરિયાદના આધારે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!