Sunday, September 8, 2024
HomeGujaratવાંકાનેરમાં શ્રમિક યુવકનો બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો

વાંકાનેરમાં શ્રમિક યુવકનો બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો

વાંકાનેરમાં શ્રમિક યુવકની હત્યા થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં જુના લુણસરીયાથી વીસીપરા રોડ વચ્ચેથી એક પરપ્રાંતીય શખ્સની હત્યા કરાયેલ લાશ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારા તાલુકાનાં હીરાપર ગામે રહેતા અને માલઢોર તથા મજુરોના કોન્ટ્રાક્ટર અરવીંદભાઇ ટીહાભાઇ લામકાનો મજુર કાર્તિકસીંગ રૂહ્યાસીંગ (રહે અજોધીયા વાયા નિલાગીરી તા.ચીત્રકુટ જી.બોલેશ્વર રાજ્ય ઓડીસા)ને ગત તા.૧૧/૦૫/૨૦૨૩ના રાત્રીના ૦૮/૦૦ થી તા.૧૨/૦૫/૨૦૨૩ ના કલાક ૦૭/૪૫ વાગ્યા દરમ્યાન જુના લુણસરીયાથી વીસીપરા રોડ વચ્ચે અથવા કોઇ પણ જગ્યાએ કોઇ અજાણ્યા ઇસમે કાર્તિકસીંગને બોથડ પદાર્થ વડે મુંઢ માર મારતા પરપ્રાંતીય શખ્સનું મોત નીપજ્યું હતું. જેને લઈ સમગ્ર મામલે અરવીંદભાઇ લામકાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમા ફરિયાદ દાખલ કરાવતા પોલીસે અજાણ્યા ઇસમ વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!