Tuesday, September 17, 2024
HomeGujaratવાંકાનેરમાં આધેડ પર સળગતી બોટલોના ઘા કરી બે અજાણ્યા ઈસમો ફરાર

વાંકાનેરમાં આધેડ પર સળગતી બોટલોના ઘા કરી બે અજાણ્યા ઈસમો ફરાર

વાંકાનેરમાં વધુ એક અસામાજિક તત્વોના આતંકની ઘટના સામે આવી છે. જેમાં  બે અજાણ્યા ઇસમો દ્વારા એક યુવક પર સળગતી બોટલોના ઘા કરવામાં આવ્યા હતા. જેને લઈ સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસે ગુનો નોંધી બંને ઈસમોને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરમાં અમરનાથ સોસાયટી શેરી નં. ૭ ખાતે રહેતા ગેલાભાઇ મૈયાભાઇ મુંધવા નામના યુવક પોતાના ઘર પાસે બેઠા હતા. ત્યારે અજાણ્યા બે આરોપીઓએ એક મોટર સાયકલ ઉપર આવી ફરિયાદી ગેલાભાઇ આરોપીઓ તરફ જતાં તેઓને અટકાવવા પોતાની સાથે લાવેલ જ્વલનશીલ જેવા પ્રવાહી ભરેલ કાચની બોટલો સળગાવી ફરિયાદીથી થોડે દુર જીંદગી જોખમાય કે શારીરીક સલામતી જોખમાય તે રીતે બોટલો ફેંકી અવરોધ ઉભો કરતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસે સ્થળ પર પહોંચી ફરિયાદીની રાવના આધારે ગુનો નોંધયો છે. અને તપાસનો ધમધમાટ શરુ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!