Thursday, September 19, 2024
HomeGujaratહળવદમાં ખંડણી ઉઘરાવા મામલે કરેલા કેસનો ખાર રાખી ઈસમે પિતા-પુત્રને મારી નાખવાની...

હળવદમાં ખંડણી ઉઘરાવા મામલે કરેલા કેસનો ખાર રાખી ઈસમે પિતા-પુત્રને મારી નાખવાની આપી ધમકી

હળવદનાં ખેડૂત અને તેના પુત્ર દ્વારા આશરે દોઢેક વર્ષ પહેલા એક ખંડણીખોર વિરુદ્ધ બે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે બંને કેસ હજુ કોર્ટમાં ચાલુ હોય જેનો ખાર રાખી ઈસમે ખેડૂતની વાડીએ ધસી આવી પિતા-પુત્રને મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ધનાળા ગામની સીમમાં વાડીમાં રહેતા ઘનશ્યામભાઇ સવજીભાઇ ચૌહાણ નામના ખેડૂતના દિકરા જનકે આજથી આશરે દોઢેક વર્ષ પહેલા જશપાલસિંહ નિર્મળસિંહ ઝાલા (રહે. કોંઢ ગામ તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર) વિરુધ્ધ જાનથી મારી નાખવાની ધમકીની તથા તેની પાસે ખંડણી ઉઘરાવવાની પોલીસ ફરીયાદ કરેલ હોય અને આ બંને કેસ કોર્ટમાં ચાલતા હોય જે બાબતે ખાર રાખી ગઈકાલે આરોપી અલ્ટો ગાડી લઇ ખેડૂતની વાડીએ આવી ખેડૂત તથા તેના દિકરા જનકને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!