Sunday, September 8, 2024
HomeGujaratઝુલતા પુલ કેસમાં જેલમાં બંધ જયસુખ પટેલની નાદુરસ્ત તબિયતને લઇ આજે ફરીથી...

ઝુલતા પુલ કેસમાં જેલમાં બંધ જયસુખ પટેલની નાદુરસ્ત તબિયતને લઇ આજે ફરીથી ચેકપ કરાવાયુ

મોરબી દુર્ઘટનામાં જેલમાં બંધ આરોપી જયસુખ પટેલની ગત શનિવારે અચાનક તબીયત લથડતા તેને તાત્કાલિક સારવાર માટે ખસેડી જરૂરી સારવાર કરાવી હતી . જે બાદ ડોકટર એ ફરી સોમવારે ચેકપ માટે લાવવાનું કહેતા તેને આજે ફરીથી સિવિલ હોસ્પિટલ ખાતે લાવી જરૂરી ચેકપ કરાવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલ હાલ મોરબી સબ જેલમાં બંધ છે ત્યારે તેની ગત 1 એપ્રિલે છાતીમાં દુખાવો થતા તબિયત બગડી હતી. જેથી તેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડી તેને પ્રાથમિક સારવાર આપી હતી ત્યારે ડોકટર દ્વારા જયસુખ પટેલને બીપી હાઈ થવાના કારણે ગભરામણ અને છાતીમાં દુખાવો જેવી સમસ્યા સર્જાઈ હતી જેથી સોમવારે એટલે કે આજે ફરીથી ચેકપ માટે આવવાનું સૂચન કર્યું હતું. ત્યારે જેલ તંત્ર દ્વારા આજે જયસુખ પટેલને સિવિલ હોસ્પિટલમાં ચેકપ માટે લઈ આવી સારવાર કરાવી હતી જ્યાં ડોક્ટર દ્વારા જરૂરી ચેકપ કર્યા બાદ મેડિસિન આપી અઠવાડીયા બાદ ફરીથી ચેકપ માટે આવવાનું સૂચન કર્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!