ભારતે પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી અનેક આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેતાં મોરબીમાં મયુરનગરી કા રાજા ગૃપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ ઓપરેશન સિંદૂરની સફળતાનાં સંદર્ભે મોરબીના ગ્રીન ચોક ખાતે ફટાકડા ફોડી મીઠાઈ વહેચણી કરી ઉજવણી કરવામાં આવી હતી…
પહેલગામમાં ધર્મના નામે થયેલ હિન્દુઓની હત્યાનો બદલો લેવા અને જવાબી કાર્યવાહી કરવા ભારત સરકાર દ્વારા આતંકવાદી પ્રવૃત્તિ રોકવા પાકિસ્તાન પર મિશન સિંદૂર અંતર્ગત એર સ્ટ્રાઈક ક૨ી અનેક આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતાં. જે સંદર્ભે મયુરનગરી કા રાજા ગણેશ મહોત્સવ ગૃપ દ્વારા મોરબીના ગ્રીનચોક ખાતે સાંજે ફટાકડા ફોડી, આતેશબાજી કરી અને મીઠાઈ વહેચી ઉજવણી કરવામાં આવી હતી. જે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ સાથે જોડાઈને ઉજવણી કરી હતી.