Saturday, July 26, 2025
HomeGujaratએલ.એસ.ગોહિલ મેમોરિયલ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા હળવદમાં ટીબીના દર્દીઓને પૌષ્ટિક રાશન કીટનું વિતરણ...

એલ.એસ.ગોહિલ મેમોરિયલ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા હળવદમાં ટીબીના દર્દીઓને પૌષ્ટિક રાશન કીટનું વિતરણ કરાયું

L.S GOHIL મેમોરિયલ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા આજ રોજ હળવદમાં ટી.બી.ના જરૂરિયાતમંદ 20 દર્દીઓને પૌષ્ટિક રાશનની કીટનું વિતરણ કરવામાં આવયું છે. L.S GOHIL મેમોરિયલ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા છેલ્લા 6 મહિનાથી દર મહિને આ કીટ વિતરણની સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.

- Advertisement -
- Advertisement -

L.S GOHIL મેમોરિયલ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા હળવદ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે ટી.બી.ના 20 જરૂરિયાતમંદ દર્દીઓને પૌષ્ટિક રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટ છેલ્લા 6 મહિનાથી દર મહિને વિતરણ કરવામાં આવે છે. જેથી ટી.બી.ના દર્દીઓ દવાની સાથે પૌષ્ટિક આહાર લઈ શકે તેવા શુભ ઉદેશ્યથી આ ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. ત્યારે આ કીટ વિતરણ પછી દર્દીઓ પૌષ્ટિક આહાર અને દવા લેવાથી 5 થી 8 કિલો સુધી વજનમાં પણ વધારો થયો છે.

આ કીટ વિતરણ હજુ આગામી 6 મહિના સુધી ચાલુ રહેશે. જેથી ટી.બી.ના દર્દીઓને જરૂરી પોષણ યુક્ત આહાર મળી રહેશે. જેથી તેઓ ઝડપથી સ્વસ્થ થશે. ત્યારે L.S GOHIL મેમોરિયલ ફાઉન્ડેશનના ગટોરભાઈ ગોહિલ અને તેમની ટીમનો આ ભગીરથ કાર્ય બદલ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ચિંતન દોશી અને શહેર ભાજપ પ્રમુખ તપન દવે સહિતનાઓએ આભાર પ્રગટ કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!