ભારતીય મજદૂર સંઘએ ભારતમાં એક ટ્રેડ યુનિયન છે. તેની સ્થાપના 23 જુલાઈ 1955ના રોજ દત્તોપંત થેંગડી દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આજે ભારતીય મજદૂર સંઘના સ્થાપના દિને નવલખી/મોરબી ખાતે ભારતીય મજદૂર સંઘ દ્વારા આરાધ્ય દેવ વિશ્વકર્મા ભગવાનનું પુજન-અર્ચન કરાયું
ભારતીય મજદૂર સંઘ દ્વારા આજ રોજ ભારતીય મજદૂર સંઘના સ્થાપના દિને નવલખી/મોરબી ખાતે આરાધ્ય દેવ વિશ્વકર્મા ભગવાનના પુજન-અચૅનનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આદરણીય પોર્ટ ઓફિસર કેપ્ટન આર.કે. મીશ્રા સહીતનાં અધિકારીએ હાજરી આપી શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. અમરસીભાઈ પટેલ, ભારતીય મજદૂર સંઘના જિલ્લા મંત્રી પ્રણવભાઈ ઠાકર તથા વલ્લભભાઈ સુમડ, મનોજભાઈ ઠાકર, સુખદેવસિહ જાડેજા, માનસિગભાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા…