Sunday, September 8, 2024
HomeGujaratમોરબીમાં દીકરીના લગ્ન થઈ ગયા હોવા છતા પ્રેમી દ્વારા ફોન મેસેજ કરવા...

મોરબીમાં દીકરીના લગ્ન થઈ ગયા હોવા છતા પ્રેમી દ્વારા ફોન મેસેજ કરવા બાબતે પ્રેમીના પરિવારને માર મરાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ નજીક આવેલ જીવરાજપાર્ક સોસાયટીમાં દીકરીના લગ્ન થઈ ગયા હોવા છતા પડોશમાં રહેતા પ્રેમી યુવક દ્વારા દીકરીને ફોન તથા મેસેજ કરતો હોવાનો ખાર રાખી પ્રેમીના પિતા તેમજ પરિવારના સભ્યો ઉપર દીકરીના પરિવાર દ્વારા લાકડાના ધોકા તથા ઢીકાપાટુ દ્વારા માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે કુલ ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી મુજબ મોરબી-૨ નજરબાગ નજીક જીવરાજ પાર્ક સોસાયટીમાં રહેતા દેવજીભાઈ મગનભાઈ ઉભડીયા ઉવ.૫૫ના દીકરાને પડોશમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હોય ત્યારે યુવતીના અન્ય સાથે લગ્ન થઈ ગયા હોય તેમ છતા ફરિયાદીના દીકરા દ્વારા યુવતીને ફોન તેમજ મેસેજ કરતો હોવાની યુવતીના પરિવારને જાણ થતા ગત તા. ૧૯/૦૭ના રોજ યુવતીના પિતા સહિતના ત્રણ શખ્સોએ દેવજીભાઈ તથા પરિવારના મહિલા સભ્યને લાકડાના ધોકા તથા ઢીકાપાટુનો માર મારી મૂંઢ ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે સમગ્ર બનાવની અંગે દેવજીભાઈ દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી અરવીદભાઈ ઉકાભાઈ ચૌહાણ રહે મોરબી-૨,નજરબાગ રોડ જીવરાજપાર્ક સોસાયટી, જેશીગભાઈ ચૌહાણ તથા અશ્ર્વીનભાઈ ચૌહાણ એમ કુલ ત્રણ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!