Sunday, September 8, 2024
HomeGujaratરામધન આશ્રમ ખાતે ભાગવત કથા અને ધાર્મિક મહોત્સવનું જાજરમાન આયોજન

રામધન આશ્રમ ખાતે ભાગવત કથા અને ધાર્મિક મહોત્સવનું જાજરમાન આયોજન

મોરબીના રામધન આશ્રમ ખાતે બાળવિદુષી રત્નેશ્વરીદેવીના વ્યાસસાસને જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા ભવ્ય દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કથામાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજર રહી કથાનું રસપાન કર્યું હતું.

- Advertisement -
- Advertisement -

મુકેશ ભગત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રામધન આશ્રમ ખાતે બાળવિદુષી રત્નેશ્વરીદેવીના વ્યાસસાસને ભાગવત કથાની સાથે સાથે સમૂહ રાંદલ, સમૂહ યજ્ઞોપવિત્ર, ૫૧ કુંડી યજ્ઞનું પણ આયોજન કરાયું હતું. જે કાર્યક્રમમાં હજારો ભક્તોએ મહાપ્રસાદનો લાભ પણ લીધો હતો. ભાગવત કથા અને ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા જય માતાજી ગુરુકૃપાના સભ્યો તથા મહિલા મંડળની બહેનોએ જહેમત ઉઠાવી હતી. ત્યારે કથામાં સંતો મહંતો ઉપરાંત ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી. તે ઉપરાંત રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાઓ, ડોક્ટર, વકીલો, આરોગ્ય વિભાગના સ્ટાફ અને ભકતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!