માળીયા(મી) તાલુકાના ચાચાવદરડા ગામે આવેલી ખાનગી કંપની ખ્રીશા પોલિમર્સની ઓરડીમાં રહેતી મૂળ ઘેડી ટાંડા તાલુકાના તડવીપુરા ગામની અનીતાબેન કાળુભાઈ મચાર નામની ૧૬ વર્ષીય સગીરાએ તા. ૩૦ મે ૨૦૨૫ના રોજ સવારે તેણીએ પોતાના માતા-પિતાને ફોન કરી ઘરે આવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે માતા-પિતા દ્વારા કામ પરથી હાલ ઘરે ન આવવા સમજાવવામાં આવી હતી. જે બાબતનું લાગી આવતા પોતે પોતાની જાતે ખ્રીશા પોલીમર્સ કારખાનાની પાછળના ભાગે ખેતરમાં ઝેરી દવા પી જતા સારવાર માટે મોરબી સરકારી હોસ્પીટલમા લાવતા ફરજ પરના ડોક્ટરે જોઇ તપાસી અનિતાબેનને મરણ ગયેલનું જાહેર કર્યું હતું. બનાવ અંગે માળીયા(મી) પોલીસે મૃતકના પિતા કાળુભાઇ ચમરીયાભાઇ મચાર પાસેથી પ્રાથમિક વિગતો લઈ અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે