માળીયા(મી) તાલુકાના નવા દેરાળા ગામે રહેતા શ્રમિક પરિવારની માસુમ બાળકી વીજ ટ્રાન્સફોર્મર ઉપર ચડી જતા, જ્યાં વીજશોક લાગતા માસુમ બાળકીનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ, મૂળ છોટાઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકાના હાંફેશ્વર ગામના વતની અને હાલ માળીયા(મી) તાલુકાના નવા દેરાળા ગામે ભાડેથી રહેતા રમેશભાઇ માંગતીયાભાઇ ભીલ નામના શ્રમિકની પુત્રી મીનાબેન રમેશભાઇ ભીલ ઉવ.૦૫ ગત તા.૨ જુનના રોજ સાંજના અરસામાં દેરાળા ગામના પાદરમાં આવેલ ટ્રાન્સફોર્મેર ઉપર ચડી જતા, જ્યાં બાળકીને ઈલેકટ્રીક શોક લાગતા તેનું મરણ થયું હતું. હાલ સમગ્ર કરૂણ મૃત્યુના બનાવ અંગે માળીયા(મી) પોલીસે અ.મોતની એન્ટ્રી કરી ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.