Saturday, October 26, 2024
HomeGujaratધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાની રજૂઆત ફળી:બે કરોડના ખર્ચે સાગર ડેમ રિપેર કરાશે

ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાની રજૂઆત ફળી:બે કરોડના ખર્ચે સાગર ડેમ રિપેર કરાશે

માળીયા તાલુકામાં વેણાસર કુંભારિયા અને આસપાસના વોકળા નું વરસાદી પાણી સમુદ્રમાં વહી જતું અટકાવવા વન વિભાગ દ્વારા સાગર ડેમ બનાવવામાં આવ્યો હતો. જે બિસ્માર હાલતમાં હોવાથી સંપૂર્ણ રિપેર કરવા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જેથી અંદાજે બે કરોડના ખર્ચે સાગર ડેમને રિપેર કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

અંદાજે બે દાયકા પહેલા માળીયા તાલુકામાં વેણાસર કુંભારિયા અને આસપાસના વોકળાનું વરસાદી પાણી સમુદ્રમાં વહી જતું અટકાવવા વન વિભાગ દ્વારા સાગર ડેમ બનાવવામાં આવ્યો હતો જેને લઇને ખેડૂતોને પણ ફાયદો થયો અને સમુદ્રની ખારાશ પણ આગળ વધતા અટકી હતી. ત્યારે સાગર ડેમ બિસ્માર હાલતમાં થતા ઉપયોગમાં આવતો ન હોવાથી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ રજૂઆત કરી હતી. અને અંદાજે બે કરોડના ખર્ચે સંપૂર્ણપણે રીપેર કરવામાં આવશે. જેને લઇને પુન વિપુલ જથ્થામાં પાણીનો સંગ્રહ થશે અને સાગર ડેમના પુનઃ નિર્માણના નિર્ણયથી વેણાસર કુંભારિયા તથા આસપાસના ગામોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!