Thursday, June 19, 2025
HomeGujaratમોરબી: લીલાપર ચોકડી નજીક યુવકની હત્યા મામલે સાત આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ.

મોરબી: લીલાપર ચોકડી નજીક યુવકની હત્યા મામલે સાત આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ.

મોરબી તાલુકામાં લીલાપર ચોકડી નજીક દુકાન વિસ્તારમાં ગીરીશ નારણભાઇ કંજારીયા નામના યુવકની હત્યાના કેસમાં અગાઉના રાગદ્વેષના પગલે ગેરકાયદેસર મંડળી રચી હુમલો કરાયો હતો. છરી, લાકડી, લોખંડના પાઈપ અને પથ્થર વડે હુમલો કરી હત્યા કરનાર સાત આરોપીઓ વિરુદ્ધ બીએનએસની વિવિધ કલમો હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના લીલાપર ચોકડી પાસે આવેલા દુકાન વિસ્તારમાં તા.૧૮/૦૬ના બપોરે લગભગ ૩.૩૦ વાગ્યે ફરીયાદી ભાવનાબેન નારણભાઈ કંઝારીયાના દિકરા ગીરીશ ઉવ.૨૭ ઉપર કાવતરાપૂર્વક હુમલો કરી છરી, લાકડી, પાઈપ અને પથ્થર વડે હુમલો કરીને તેનું મોત નીપજાવાયો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. ત્યારે તાલુકા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ બીએનએસની ૧૦૩(૧) સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ મથકમાં મૃતક ગીરીશના માતા ફરિયાદી ભાવનાબેન નારણભાઈ કંઝારીયા ઉવ. ૪૫ રહે.વજેપર મોરબી વાળાએ આરોપી દિલીપ મહેશભાઈ કંઝારીયા, અરવિંદ ઉર્ફે મુન્નો ડાયાભાઈ પરમાર, કિશન પ્રભુભાઈ પરમાર, પ્રભુભાઈ ડાયાભાઈ પરમાર, મહેશ ઉર્ફે પાંચો ડાયાભાઈ પરમાર, જગાભાઈ ડાયાભાઈ પરમાર તથા અમિત મહેશભાઈ ઉર્ફે પાંચો પરમાર તમામ રહે.મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરીયાદી ભાવનાબેનના દિકરા ગીરીશ ઉવ.૨૭ વાળાને અગાઉ આરોપી મહેશ ઉફે પાંચો ડાયાભાઈની ભત્રીજીને તેના પાડોશમાં રહેતા પ્રકાશ વિનુ સાથે પ્રેમ સંબંધ હોય અને મૃતક ગિરીશ તેને મદદ કરતો હોવાનો શક-વહેમ રાખી, ગિરીશ વિરૂધ્ધ વર્ષ ૨૦૧૭માં પોલીસ ફરીયાદ કરેલ તેમજ બે દિવસ પહેલા પણ આરોપી દિલીપ મહેશના પરિવાર સાથે મૃતક ગિરીશે ઘર પાસે ગાળો બોલવા બાબતે મારા મારી કરી હોય જે તમામ બાબતનો રાગદ્રેષ રાખી ગઈકાલ તા.૧૮/૦૬ ના રોજ ઉપરોક્ત તમામ સાતેય આરોપીઓએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી, ફરીયાદી ભાવનાબેનના દિકરા ગિરીશ અને સાહેદને ગાળો બોલી, આરોપી દિલીપભાઈ મહેશભાઈએ છરીના ઘા મારેલા, આરોપીઓ કિશન પ્રભુભાઈ તથા પ્રભુભાઈ ડાયાભાઈ અને મહેશભાઈ ડાયાભાઈએ લાકડા ધોકા વડે માર મારેલ, આરોપી અમિતે લોખંડના પાઈપ વડે માર મારેલ આ ઉપરાંત આરોપી જગાભાઈએ પકડી રાખેલ અને અરવિંદ ઉફે મુન્ના ડાયાભાઈએ પથ્થર વડે માર મારી ફરિયાદીના દીકરા ગિરિશની કરપીણ હત્યા નિપજાવી હતી. હાલ તાલુકા પોલીસે મૃતકની માતાની ફરિયાદને આધારે હત્યારા સાતેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!