Sunday, June 15, 2025
HomeGujaratમોરબી: લખધીરપુર રોડ ઉપરથી પસાર થઈ રહેલા પ્રૌઢનું અકળ કારણોસર મૃત્યુ.

મોરબી: લખધીરપુર રોડ ઉપરથી પસાર થઈ રહેલા પ્રૌઢનું અકળ કારણોસર મૃત્યુ.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન હદમાં આવેલા લગધીરપુર ગામની સીમ, લક્ષીસ ગ્રેનીટો નજીક એક ૫૫ વર્ષીય પ્રૌઢના મૃત્યુની ઘટના સામે આવી છે. જેમાં મૃતક પ્રાણજીવનભાઈ ધરમશીભાઈ અમતિયા ઉવ.૫૫ રહે. મોરબી બોની પાર્ક રવાપર રોડ વાળા ગઈકાલ ૧૩/૦૬ના રોજ લખધીરપુર રોડ લક્ષીસ ગ્રેનાઈટો સામે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક કોઇ કારણસર તેમનું મૃત્યુ નિપજ્યું હતું. તેમના મૃતદેહને રાકેશભાઈ જયંતિભાઈ અમતિયા મોરબી સરકારી હોસ્પિટલ લાવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી પ્રાણજીવનભાઈને મૃત જાહેર કર્યા હતા. બાદમાં તેમણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે અ.મોતની એન્ટ્રી કરી આગળની તપાસ ચલાવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!