Tuesday, March 10, 2026
HomeGujaratમોરબી: ઘુંટુ રોડ પર ફેક્ટરીની લેબર કોલોનીમાં રહેતા શ્રમિકનું લોહીની ઉલટી થયા...

મોરબી: ઘુંટુ રોડ પર ફેક્ટરીની લેબર કોલોનીમાં રહેતા શ્રમિકનું લોહીની ઉલટી થયા બાદ મોત

મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ સેનેટરીવેર ફેક્ટરીની લેબર કોલોનીમાં રહેતા એક શ્રમિકનું લોહીની ઉલટી થતા રૂમમાં જ તેમનું નિધન થયું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોત નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના જુના ઘુંટુ રોડ પર આવેલી અલ્ટ્રા સેનેટરીવેર ફેક્ટરીની લેબર કોલોનીમાં રહેતા ગેલાભાઈ પાલાભાઈ વાઘેલા ઉવ.૪૬ મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકાના રાજપરા ગામના વતની છેલ્લા આશરે પાંચ વર્ષથી ડાયાબિટીસની બીમારીથી પીડાતા હતા. ત્યારે ગઈકાલે તા. ૯ માર્ચના રોજ પોતાના રૂમમાં અચાનક લોહીની ઉલટી થતા તેમની તબિયત બગડી ગઈ હતી, જેના કારણે તેમનું મોત થયું હતું. ત્યારે મૃતકના નાનાભાઈ માવજીભાઈ પાલાભાઈ વાઘેલા દ્વારા બનાવ અંગે પ્રાથમિક વિગતો આપી જાણ કરવામાં આવતા મોરબી તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!