Friday, October 18, 2024
HomeGujaratમોરબી:ઘડિયાળના કારખાનામાં યુવકે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

મોરબી:ઘડિયાળના કારખાનામાં યુવકે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ નીરવ આર્ટ નામના ઘડિયાળના કારખાનામાં ૨૮ વર્ષીય યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામ્યો છે. પ્રાથમિક તપાસમાં મૃતકની બહેને પ્રેમલગ્ન કર્યા હોય જે બાબતનું લાગી આવતા આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

અપમૃત્યુના બનાવની મળતી માહિતી અનુસાર મોરબીના ગ્રીન ચોક નજીક આવેલ હનુમાન શેરીમાં રહેતા પ્રિતેશભાઈ ભરતભાઈ દોશી ઉવ.૨૮ના બહેને એક વર્ષ પહેલા પ્રેમલગ્ન કરી લઇ ઘરેથી ચાલ્યા ગયા હોય ત્યારથી પ્રિતેશભાઇ ગુમસુમ રહેતા હોય જે બાબતનું મનમાં લાગી આવતા ગઈકાલ તા.૨૮/૦૫ના રોજ મોરબી લાતી પ્લોટ શેરી નં.૫-૬ વચ્ચે ભારતીય ચેમ્બરમાં આવેલ નીરવ આર્ટ નામના ઘડીયાળના કારખાનામાં પ્રિતેશભાઇએ પોતાની જાતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતકના ભાઈ મિતેશભાઈની પ્રાથમિક પૂછતાછમાં પ્રિતેશભાઈના આપઘાત અંગે ઉપરોક્ત કારણ જાહેર કર્યું છે. હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે સમગ્ર અપમૃત્યુના આ બનાવમાં અ.મોત રજી. કરી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!