Wednesday, March 19, 2025
HomeGujaratમોરબી:સોમૈયા સોસાયટી ભાડેના મકાનમાં પ્રૌઢનો ગળેફાંસો ખાઈ આપઘાત.

મોરબી:સોમૈયા સોસાયટી ભાડેના મકાનમાં પ્રૌઢનો ગળેફાંસો ખાઈ આપઘાત.

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સામૈયા સોસાયટીમાં ભાડેના મકાનમાં રહેતા ૫૨ વર્ષીય પ્રૌઢે અન્ય જગ્યાએ ભાડે મકાન શોધવા છતાં નહિ મળતા જે બાબતનું લાગી આવતા માનસિક તણાવમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પ્રૌઢનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં વાવડી રોડ સોમૈયા સોસાયટીમાં ભાડે રહેતા મૃતક રાજેશભાઇ અમૃતલાલ ગોહિલ ઉવ.૫૨ એ ગઈકાલ તા.૧૮/૦૩ના રોજ ઉપરોક્ત ભાડેના મકાનમાં ગળેફાંસો ખાઈને મોત વ્હાલું કર્યું હોય ત્યારે મૃતકના પત્ની ચંદ્રિકાબેન દ્વારા પ્રાથમિક વિગતો આપતા જણાવ્યું કે તેઓ જે મકાનમા ભાડેથી રહેતા હોય તે મકાન માલીક દ્વારા આજથી દશેક દિવસ પહેલા કોઇ બીજી વ્યકિતને મકાન વેચાણ કરી નાખેલ હોય, ત્યારે મૃતક રાજેશભાઇને બીજી કોઇ જગ્યાએ ભાડેથી મકાનની વ્યવસ્થા થઇ શકેલ ન હોય જે બાબતે ટેન્શનમા આવી જતા પોતાના ઘરે જાતેથી ગંળેફાંસો ખાઇ લીધો હતો, હાલ મોરબી એ ડિવિઝન પોલીસે મૃત્યુના બનાવમાં અ. મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!