મળતી માહિતી અનુસાર, મોરનીના રફાળેશ્વર ગામે રહેતા મૂળ વાંકાનેર તાલુકાના અદેપર ગામના વતની સાગરભાઈ દેવરાજભાઈ ચાવડા પોતાનું બજાજ કંપનીનું પલ્સર બાઇક રજી.નં. જીજે-૩૬-ડી-૧૦૨૬ લઈને ગઈ તા.૦૮/૦૬ ના રોજ તેમની પત્ની સાથે રવિવારી બજારમાં ખરીદી કરવા ગયા હતા, ત્યારે પલ્સર બાઇક પાડાપુલ નીચે રવિવારી બજાર નજીક સ્વામિનારાયણ મંદિર જવાના રસ્તે પાર્ક કર્યું હતું, જ્યાંથી કોઈ અજાણ્યો વાહન ચોર આ બાઇકની ચોરી કરીને લઈ ગયો હતો, ત્યારે સાગરભાઈએ બાઇક ચોરી અંગે પ્રથમ ઇએફઆઇઆર બાદ બી ડિવિઝન પોલીસ મથકે રૂબરૂ ફરિયાદ નોંધાવી છે.