Friday, October 18, 2024
HomeGujaratમોરબી:જુના સાદુળકા ગામે આવેલ કારખાનામાં આગ ઓલવવા જતા દાઝેલા શ્રમિકનું સારવારમાં મોત

મોરબી:જુના સાદુળકા ગામે આવેલ કારખાનામાં આગ ઓલવવા જતા દાઝેલા શ્રમિકનું સારવારમાં મોત

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના જુના સાદુળકા ગામે સર્વોતમ ડેકોર પ્રાઇવેટ લીમીટેડ નામના કારખાનામાં રહેતા મૂળ રાજસ્થાન રાજ્યના વતની અંબાલાલ મીશારામ મેઘવાલ ઉવ-૩૮ ગઇ તા.૧૪ એપ્રિલ ૨૦૨૪ ના રાત્રીના સાડા આઠેક વાગ્યા વખતે મોરબી તાલુકાના જુના સાદુળકા ગામની સીમમાં આવેલ સર્વોતમ ડેકોર કારખાનામાં લાકડાની શીટના ભુસુમાં કોઈ કારણોસર અચાનક આગ લાગી હતી. ત્યારે આગ લાગવાની ઘટનામાં શ્રમિક અંબાલાલ આગ ઓલવવા જતા દાઝી ગયા હતા જેથી તેઓને સારવાર અર્થે અમદાવાદ સીવીલ હોસ્પીટલમાં દાખલ કર્યા હતા. ત્યારે સારવાર દરમ્યાન અંબાલાલનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!