Friday, June 13, 2025
HomeGujaratમોરબી મનપાની બેધારી નીતિને લઈ મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખે ઉઠાવ્યા સવાલ

મોરબી મનપાની બેધારી નીતિને લઈ મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખે ઉઠાવ્યા સવાલ

મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબી શહેરમાં વિવિધ સ્થળોએ થયેલ વોકળા પર દબાણને લઈ મહાનગરપાલિકાને આડેહાથ લીધી છે અને આ દબાણખોરો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા વિડીયોના મારફત માંગ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ વિડીયો જાહેર કરી જણાવ્યું હતું કે, આજ સવારથી હું મોરબીમાં નદી નાળાઓ વોકળાઓમાં તપાસ અર્થે ગયો હતો. જ્યાં પ્રિ મોન્સૂનની કામગીરી ઝીરો છે. સ્થળોએ કામગીરી ચાલુ છે. જે એક સારી બાબત કહેવાય. પરંતુ મોરબી શહેરમાં આવેલા ખુલ્લા વોંકળાઓ ઉપર જે આડેધડ દબાણ કરવામાં આવ્યા છે. તે તાત્કાલિક ધોરણે હટાવવા જોઈએ. તેવી હું મહાનગરપલિકાના કમિશ્નરને વિનંતી કરું છું. વધુમાં તેમણે કહ્યું હતું કે, મોરબીની મહાનગરપાલિકા ડિમોલિશનની કામગીરી કરી રહી છે. જેમાં કોઈ નાના વેપારીઓ તેમની દુકાનની બહાર જો એક ફુટ પણ બહાર જો બોર્ડ કે હોર્ડિંગ્સ લગાવે તો તે પણ હટાવવામાં આવે છે. અને ખુલ્લેઆમ વોંકળાઓ પર પાર્કિંગ, શોપિંગ સેન્ટર, સ્કૂલ બની ગઈ છે. તેના પર મોરબી મહાનગરપાલિકાએ કોઈ પણ કાર્યવાહી કરી નથી. જેમાં મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ કાલીન્દ્રી નદી હોય કે મોરબી શહેરના રવાપર રૉડ પર આવેલ પાણીનો વોંકળો હોય આ તમામ વોંકળાઓમાં એકદમ ગંદગી છે. તેની તાકીદે સફાઈ થાય અને વોંકળાઓ પર થયેલ દબાણ હટાવવામાં આવે તેવી માંગ કરાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!