Tuesday, June 3, 2025
HomeGujaratમોરબી ગૌ રક્ષકોએ કચ્છથી રાજકોટ ક્રૂઝરમાં ભરી કતલખાને લઈ જવાતા ૨૬ જીવ...

મોરબી ગૌ રક્ષકોએ કચ્છથી રાજકોટ ક્રૂઝરમાં ભરી કતલખાને લઈ જવાતા ૨૬ જીવ બચાવ્યા

મોરબી ગૌરક્ષક, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળને બાતમી મળી હતી કે કચ્છ બાજુથી રાજકોટ બાજુ મોટા પ્રમાણમાં એક તુફાન ક્રુઝરમાં જીવ કતલખાને લઈ જવામાં આવી રહ્યાં છે જે બાતમીના આધારે મોરબીના રવિરાજ ચોકડી પાસે રોકીને તેમાં ચેક કરતા ઘેટા બકરા 26 જીવ નંગ ક્રૂરતા પૂર્વક બાંધ્યા નજરે પડતાં તેને બચાવી મોરબી પાંજરાપોળ ખાતે મૂકી આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી ગૌરક્ષક, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળને બાતમી મળી હતી કે કચ્છ બાજુથી રાજકોટ બાજુ મોટા પ્રમાણમાં એક તુફાન ક્રુઝરમાં જીવ કતલખાને લઈ જવામાં આવી રહયા છે. જે બાતમીના આધારે મોરબી બાયપાસ રવિરાજ ચોકડીએ ગૌરક્ષક વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. ત્યારે જીવ ભરીને તુફાન ક્રુઝર ગાડી ફોરવીલ GJ03Z9921 બાતમી મુજબ આવતા તે ગાડીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં રવિરાજ ચોકડી પાસે રોકીને તેમાં ચેક કરતા ઘેટા બકરા 26 જીવ નંગ ક્રૂરતા પૂર્વક બાંધ્યા નજરે પડ્યા હતા. સીટો કાઢીને કાચમાં પડદા મારીને ટૂંકા દોરડાથી હલી ચલી ન શકે એવી રીતે કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતાં. આરોપીની પૂછપરછ કરતા જણાવ્યું કે રાજકોટ કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. તે 26 જીવોને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી, ગૌરક્ષક, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને મોરબી પોલીસના સહયોગથી જીવોને બચાવી લેવામાં આવ્યા છે. ગૌ રક્ષકો દ્વારા ગુન્હો દાખલ કરાવીને મોરબી પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!