Wednesday, October 15, 2025
HomeGujaratમોરબી સાયક્લોથોન ૨૦૨૫ : મનપા દ્વારા સાયક્લોથોન માટે રજીસ્ટ્રેશન ખુલ્લું મુકાયું

મોરબી સાયક્લોથોન ૨૦૨૫ : મનપા દ્વારા સાયક્લોથોન માટે રજીસ્ટ્રેશન ખુલ્લું મુકાયું

રાજ્યના દરેક નાગરિકો નિરોગી, તંદુરસ્ત અને સુખમય જીવન જીવે તે માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી સાયક્લોથોન ૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માંગતા મોરબીવાસીઓ માટે રજીસ્ટ્રેશન શરુ કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત વિકાસ સપ્તાહ ૨૦૨૫ ના ભાગરૂપે આગામી તા.૧૩/૧૦/૨૦૨૫ ના રોજ સવારે ૭:૦૦ થી ૯:૦૦ કલાકે મોરબી સાયક્લોથોન ૨૦૨૫ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સાયક્લોથોન ૬ કિમીનું રહેશે. જેમાં સ્કાયમોલ થી ઉમિયા સર્કલ, બોરિયાપાટી થઈને પરત સ્કાયમોલ આવવાનું રહેશે. ત્યારે સાયક્લોથોનમાં ભાગ લેવા માટે ઇચ્છુક મોરબીવાસીઓ માટે રજીસ્ટ્રેશન ખુલ્લું મુકવામાં આવ્યું છે. ત્યારે કાર્યક્રમને લઇ મનપા દ્વારા સૂચનો આપતા જણાવવામાં આવ્યું છે કે, રજીસ્ટ્રેશનની ડેડલાઇન ૧૨ ઓક્ટોબર, ૨૦૨૫ (રવિવાર)ની રહેશે. તેમજ કાર્યક્રમમાં ભાગ લેવા માટે સાયકલ અને હેલ્મેટ જરૂરી છે. તેમજ દરેક સ્પર્ધકે ફોર્મ અલગથી ભરવું જરૂરી છે. રજીસ્ટ્રેશન માટે :https://forms.gle/gJTvGMkiHkRtCxBy8 લિંક પર ફોર્મ ભરવાનું રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!